Saturday, February 21, 2026

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ.
જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જેમાં ગુજરાત પ્રાંત ના પૂર્ણ કાલીન કાર્યકર્તા વિપુલભાઈ,રીનાબહેન જોડાયા હતા. સાથે ગુજરાત પ્રાંત પ્રશિક્ષણ પ્રમુખ ચંદાબહેન ઉપસ્થિત રહ્યા હતા વંદના બાદ અલગ અલગ સત્રો થયા જેમા વર્ષ 2025-26 નું વર્ષ દરમિયાન થયેલ કાર્યક્રમ નું વૃત ત્યારબાદ 2026 માટે ની બાલિકા શિક્ષણ ની કાર્ય યોજના બનાવી બાલિકા શિક્ષણ સારુ અને વ્યવસ્થિત ચલાવવા માટે વિવિધ સત્રો યોજાયા. આ બેઠક માં પ્રાંત બાલિકા શિક્ષણ પ્રમુખ શ્રી જયશ્રીબા જાડેજા સહ પ્રમુખ માયાબહેન ગજ્જર તેમજ વિભાગ અને સંકુલ ના પ્રમુખ,સહ પ્રમુખ ઉપસ્થિત હતા.

Wednesday, February 4, 2026

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

 શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે. 

વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય 

યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જામનગર જિલ્લા ની એકમાત્ર શાળા 

ગ્લોબલ સ્કૂલ એલાઇન્સ,ગ્લોબલ સ્કૂલ પ્રોગ્રામ,ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન રાઇટ્સ સંસ્થા જેવી 20 જેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે જોડાણ 

અદ્યતન હવા ઉજાસ વાળું ભવ્ય બિલ્ડિંગમાં વર્ગ ખંડો શાંત રમણીય અને પ્રકૃતિ કુદરતી સૌંદર્ય ધરાવતું આધુનિક શાળામાં બુટેન બોર્ડ, સ્ટેજ, સ્વાગત બગીયો અને બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિ, ઘાસ, લીલાં, છાંય વેલા, વૃક્ષો અને વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિથી શોભા ધરાવતું અતિ-આધુનિક સ્વચ્છ સુંદર અને રમણિય ખુલ્લા મેદાન ધરાવતી આધુનિક સમયની એક માત્ર શાળા એટલે શિશુમંદિર વિભાપર

પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાં પણ વધુ છે, રત્નો તો બહાર ચમક દેખાડે છે, જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ બનાવે છે”
પુસ્તકાલય પુસ્તક આલય = પુસ્તકોનું ઘર ધિરાણ વધારવા માટે વિવિધ પ્રકારના પુસ્તકોનું વાંચન પ્રેરણા પૂરી પાડે છે. તે હેતુથી પુસ્તકાલય એ નિશાળ અને વિદ્યાલયનું એક અનિવાર્ય અંગ છે.
* પુસ્તકાલયમાં 3500–4000 વિવિધ પુસ્તકોનો સંગ્રહ
* શાંત વાતાવરણ
* વિશાળખંડમાં વાંચન માટે બેઠક વ્યવસ્થા
* વિવિધ પ્રકારના પુસ્તકો જેવાંકે ધાર્મિક, આધ્યાત્મિક, પ્રેરણાત્મક, બોધાત્મક, સ્પર્ધાત્મક, નાટક, નવલકથા, વાર્તા, યોગ, કોમ્પ્યુટર, ગણિત-વિજ્ઞાન, સમકાલીન વાર્તા વગેરે પુસ્તકોનો સંગ્રહ
* વિદ્યાર્થીની ઇચ્છિત વાંચન અભિરુચિ કેળવવા અભિયાન
* મન ગમતું પુસ્તક વાતાલાપ
* શ્રેષ્ઠ વાચક – સ્પર્ધા
* વાંચન-પ્રેરણા અને જીવન ધ્યેય કેન્દ્રિત અન્ય સ્પર્ધાઓ
* વાંચન પ્રેરણા નોંધ પોથી
* પુસ્તક પ્રદર્શન
* વિચારગોષ્ઠી વગેરે આયોજન



આધુનિક સમયમાં computer lab શાળાનું મહત્વનું અંગ છે.
* વિદ્યાર્થીઓ એ પ્રા. શાળામાં મેળવેલ જ્ઞાનને વધારે update કરવા જરૂરી છે.
* આજના સ્પર્ધાત્મક સમયમાં E-learning સાથે computer learning વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય છે.
* વિદ્યાર્થીઓ પાસે computer learning નું જ્ઞાન હોય તો કોઈપણ મહત્વ વિષય ઊંડાણપૂર્વક વિષય નિષ્ણાતના વિડિયો દ્વારા સરળ અભ્યાસ કરી શકે છે.
* computer learning વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, શિસ્ત, સમજણ જવાબદારી જેવા ગુણો વિકસે છે.
* વિદ્યાર્થી સ્વયં (જાતે) ટેબ્લેટ, લેપટોપ, મોબાઇલ જેવા સોશિયલ મીડિયાનો વિવેકપૂર્વક ઉપયોગ કરી પોતાની જાતને update કરી શકે છે.
* વિદ્યાર્થીઓમાં નવું જ્ઞાન, નવી દિશા અંગોળીના સ્પર્શ દ્વારા મેળવી શકે છે.
* અભ્યાસને લગતા વિષયનું જ્ઞાન પોતાની રીતે મેળવવાની advance થઈ શકે છે.
* આજનો યુગ ટેકનોલોજીનો છે ત્યારે ટેકનોલોજીકલ ટૂલ્સ દ્વારા પોતાના વિષયને ઉજ્જવળ કરી શકે છે.
* માત્ર પુસ્તકો દ્વારા જ નહિ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી સમયનો સદુપયોગ કરી શકે છે.
* શાળા લેવલે મેળવેલ computer learning નું જ્ઞાન જીવનના કોઈપણ ક્ષેત્રે ઉપયોગ થઈ શકે છે.

Ai Artificial Intelligence દ્વારા શિક્ષણ 
ડિજિટલ કનટેઈન દ્વારા શિક્ષણ 
Ai માં ચેટ જી.પી.ટી,જેમીની,નોટબુક એલ.એમ જેવી એપ દ્વારા શિક્ષણ 
વિદ્યાર્થીઓ ને Ai દ્વારા પ્રોજેકટ અને તેનું જાતે પ્રેજનટેશન બનાવી ને મૂલ્યાંકન 
 ખેલકૂદ અને ખેલમહાકુંભ 
વિદ્યાભારતી દ્વારા યોજાતા ખેલકૂદ માં શ્રેસ્ઠ પરિણામ 
સરકાર ના ખેલ મહાકુંભ માં જિલ્લા,રાજ્ય સુધી શ્રેસ્ઠ દેખાવ 
વિદ્યાલય માં વિશાળ મેદાન વ્યવસ્થા તેમજ ખેલકૂદ માટે કોચ 
યોગ શિક્ષણ 





Sunday, February 1, 2026

શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૯ વિદ્યાર્થીઓ નું જામનગર માં હેરિટેજ વોક.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૯ ના વિદ્યાર્થીઓ જામનગર શહેર માં હેરિટેજ વોક કર્યું.
જેમાં કક્ષા ૯ ના વિદ્યાર્થીઓ સવારે લાલવાડી ખાતે જામનગર ના પ્રખ્યાત અન્નપૂર્ણા મંદિર ખાતે દર્શન કર્યા તેમજ તેના મંદિર ના મહંત સંત શ્રી મુંડિયાસ્વામી અને અન્નપુર્ણા મંદિર વિશે માહિતી આપી તેમજ દરવર્ષ યોજાતા ભંડારા વિશે વિદ્યાર્થીઓ ને માહિતગાર કર્યા.
ત્યાંથી આગળ વિદ્યાર્થીઓ જામનગર ના વિશ્વ પ્રખ્યાત વર્લ્ડ રેકોર્ડ ૬૫ વર્ષ કે તેથી અખંડ રામધૂન ચાલતી એવા બાલા હનુમાન મંદિર એ વિદ્યાર્થીઓ દર્શન નો લાભ લીધો મંદિર ની માહિતી લીધી,સાથે વિદ્યાર્થીઓ રામધૂન નો લાભ લીધો અને આનંદ કર્યો. 
આગળ ચાલતા ચાલતા જામનગર છોટી કાશી તરીકે ઓળખાય છે. જામનગર માં અનેક શિવમંદિર આવેલા છે. જેમાં વિધાર્થીઓ એ એક હજાર શિવલિંગ મંદિર,હાટકેશ્વર,વૈદ્યનાથ મંદિર,પુરુષોત્તમ મંદિર ની મુલાકાત લીધી. તેમજ જામનગર ના પ્રખ્યાત જૈન દેરાસરો માં વિદ્યાર્થીઓ એ દર્શન કર્યા.
આગળ ચાલતાં ચાલતાં જામનગર ના પ્રખ્યાત લાખોટા તળાવ ના મહેલ, મ્યુઝિયમ અને ફિઝિકલ ફિટનેસ પાર્ક અને નેચરલ પાર્ક ની મુલાકાત લીધી અને આનંદ માણ્યો.
 આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખૂબ રસપ્રદ રહી તમામ સ્થાનિક લોકો એ તે જગ્યા નો ઇતિહાસ વિદ્યાર્થીઓને જણાવ્યો. 
જામનગર ની બજારો ની માહિતી લીધી જેમકે ચાંદી બઝાર, સંઘાડીયા બઝાર,કાપડ બઝાર,કંસારા બઝાર જેવા બઝાર ની મુલાકાત લીધી અને તેના વ્યવસાય ની માહિતી મેળવી.
જામનગર ની સ્થાપના વખત ની ખાંભી નું વિદ્યાર્થી દ્વારા પૂજન કરવામાં આવ્યું
આ પ્રાયોગિક જ્ઞાન થી વિદ્યાર્થીઓ માં ઇતિહાસ અને સામાજિક વિજ્ઞાન વિશે પ્રાયોગિક અને જીવન માં આ યાત્રા યાદગાર રહેશે. આ હેરિટેજ વોક નું આયોજન માધ્યમિક વિદ્યાલય ના પ્રધાનઆચાર્ય હેમાંશુગુરૂજી કર્યું હતું સાથે આશિષગુરુજી હતા. આ સંપૂર્ણ હેરિટેજ વોક નું માર્ગદર્શન વિદ્યાલય ના નિયામક જયશ્રીદીદી એ આપ્યું હતું.