Wednesday, July 23, 2025

શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં ભારત ના સંવિધાન નું દર્શન

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં સામાજિક વિજ્ઞાન ના વિષય અંતર્ગત નાગરિક ના વિભાગ માં ભારતીય કાયદા ની જાણકારી તેની કલમો અને તેમજ સંવિધાન વિશે કક્ષા ૮ અને ૯ માં વિષય અભ્યાસ કરવાનો હોય છે.
તે અંતર્ગત આપણા દેશ ના મૂળ અને મુખ્ય એવા કાયદા નું પુસ્તક વિદ્યાર્થીઓ એ નિહાળ્યું તેમાં આમુખ,નાગરિત્વ,મૂળભૂત ફરજો,આપણી કલમો અને કાયદાઓ કેવી રીતે બને તે વિશે સમજ્યું. કાયદા નું પુસ્તક વિદ્યાર્થીઓ જોયું અને તેમને તેમને લગતા પ્રશ્નો પૂછ્યા અને વિદ્યાર્થીઓ ને કાયદા અને સંવિધાન વિશે રસ જાગ્યો અને સમજ પણ મેળવી.