Saturday, August 30, 2025

બાલિકા શિક્ષણ અંતર્ગત બૌધિક માર્ગદર્શન

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં આજે  સવારે 8:00 કલાકે બાલિકા શિક્ષણ લેવામાં આવેલ જેમાં નારી તુ મહાન હૈ ગીત ઓડિયો દ્વારા શ્રવણ કરવામાં આવેલ. ત્યારબાદ માનનીય શ્રી જયશ્રીબા જાડેજા નો નારી તુ મહાન હૈ વિષય પર માર્ગદર્શન રહ્યું જેમાં ભારતીય નારીઓના કેવા ગુણો હોય, વેશભૂષા કેવી હોય, તેમજ આદર્શ નારીમાં કેવું તેજ હોય જેનું માર્ગદર્શન રહ્યું.
       આ બાલિકા શિક્ષણમાં આચાર્ય હીનાબેન પરમાર તેમજ રંજનબેન નકુમ તથા કક્ષા 5થી 9ના કુલ 90બહેનો ઉપસ્થિત હતા.