Saturday, August 30, 2025

શિશુમંદિર વિભાપર માં શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન આજે શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલયમાં શિશુવાટિકાનું દ્વિતીય વાલી સોપાન થયું તેમાં મંચસ્થ અધિકારી શ્રી ડોક્ટર રાકેશભાઈ ચાંગાણી અને વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીબેન જાડેજા રહ્યા હતા તેમજ તેમના હસ્તક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને મા સરસ્વતીની વંદના કરી.વિષય બાળકોનો આહાર રહ્યો આહાર વિશે રાકેશભાઈ ખુબ સરસ માહિતી આપી. બાળકના એક થી પાંચ વર્ષમાં અન્નમય કોષ નો વિકાસ થાય છે એના માટે કયો ખોરાક લેવો એના વિશે ખૂબ સરસ માહિતી આપી. ખાસ ટીવી અથવા મોબાઇલ જોતા જોતા ભોજન ન લેવું ભોજન નો સંપૂર્ણ આનંદ લેવો તેવી વાલીઓ ને ખાસ અપીલ કરી . આ સોપાન માં શિશુ વાટિકા ના વાલીઓ,આચાર્યો તેમજ શિશુ વિભાગ ના પ્રધાનઆચાર્ય શ્રી દમયંતીબહેન અમરેલીયા જોડાયા હતા.