શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, September 20, 2026

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન યોજાયું

શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર 
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર પર આજે ૧૯/૯/૨૦૨૬ ને શનિવારે બીજું વાલી સોપાન હતું. જેમાં વિષય હતો" સંસ્કાર અને ચારિત્ર નિર્માણ જેમાં દીપ પ્રાગટ્ય મંચસ્થ અધિકારી શ્રી, દિનેશભાઈ મગનભાઈ સંઘાણી, માનનીય શ્રી રીનાબેન નરેન્દ્રકુમાર દવે , શ્રી દક્ષાબેન ચંદુભાઈ અમરેલી દ્વારા કરવામાં આવ્યું હતું.

     સંચાલન શ્રીમતી જસ્મીનબેન ભંડેરી એ કર્યું હતું. ત્યારબાદ વિભાપર ,ઠેબા ,લાલવાડી સ્થાનના વાલીઓ અને બાળકો પોતાના દીદી સાથે પોતપોતાના કક્ષમાં ગયા. ત્યાં જે વિષય ને અનુરૂપ વાર્તા, ગીત ,નાટક ,શ્લોક વગેરે જેવી પ્રવૃત્તિઓ વાલીઓ અને બાળકો દ્વારા કરવામાં આવી હતી જેમાં આશરે ઉપસ્થિત સંખ્યા...66 જેટલી રહી હતી ત્યારબાદ ગીત કુ.મયુરીબેન સોનગરા દ્વારા ગવાયું હતું પછીનો વિષયને અનુરૂપ માર્ગદર્શન માનનીય દીક્ષાબેન અમરેલીયા દ્વારા મળ્યું બાળકોના વિશે સંસ્કારો અને ચારિત્ર નિર્માણ વિશેષ માર્ગદર્શન મળતા વાલીઓ આનંદિત થયા હતા. ત્યારબાદ કલ્યાણ મંત્ર બોલી સૌ છુટા પડ્યા હતા.

Friday, August 28, 2026

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સમાજ ના વિવિધ લોકો અને સંસ્થાઓ માં રક્ષાબંધન નિમિતે વિશેષ ઉજવણી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વિદ્યાલય દ્વારા જાતે વૈદિક રક્ષાસૂત્ર બનાવી જામનગર ની વિવિધ સામાજિક સંસ્થાઓ અને સમાજ ના વિવિધ લોકો ને વિદ્યાલય દ્વારા રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન ની અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં 
વિવિધ બેંકો,પોસ્ટ ઓફિસ, ફાયર સ્ટેશન,દવાખાના, ગૌ શાળા,શાળાઓ,સરકારી કાર્યાલયો તેમજ સફાઈ સેવકો ને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.

Thursday, August 13, 2026

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં અખંડ ભારત સંકલ્પ દિવસ ની ઉજવણી

આજ રોજ ૧૪ ઓગસ્ટ એટલે અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારત દિન ની ઉજવણી થઈ જેમાં દિપ પ્રાગટ્ય,વંદના,વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ ગીત "અખંડ ભારત નામ કા શેર મુખી કા ચહેરા" ગીત રજૂ કર્યું ત્યારબાદ વક્તા શ્રી વૈદ્ય રાકેશભાઈ ચાંગણી (સંઘ ના જામનગર નગર કાયૅવાહ) એ અખંડ ભારત વિશે ના ઇતિહાસ, શા માટે અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવવો તેમજ વર્તમાન માં અખંડ ભારત માટે વિદ્યાર્થીઓ શું કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓ એ અખંડ ભારત નો સંકલ્પ લીધો અને તમામ વિદ્યાર્થીઓએ, આચાર્યો,ટ્રસ્ટીઓ તેમજ વ્યવસ્થાપકો એ અખંડ ભારત માનચિત્ર નું પૂજન કર્યું.

Friday, July 3, 2026

લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન

આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના
 પ્રમુખ રમેશભાઈ પટેલ
લાઇન્સ ક્લબ ના મેમ્બર
ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસદીયા તેઓ એ વિદ્યાલય ને દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન આપ્યું  
નિયામક  શ્રી જયશ્રીબહેન જાડેજા એ વિદ્યાલય પરિચય આપ્યો
પ્રધાનઆચાર્ય શ્રી હેમાંશુભાઈ તેમજ મયુરીબહેન એ વિદ્યાલય દર્શન કરાવ્યા
આ તકે વિદ્યાલય ના ટ્રસ્ટીઓ વિનોદભાઈ મુંગરા,દિનેશભાઈ સંઘાણી વ્યવસ્થાપકો કેતનભાઈ બોરસદીયા,અશ્વિનભાઇ બોરસદીયા તેમજ  નિયામક,આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્યાલય દ્વારા તેમનું સંઘ પરિચય પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું લાઇન્સક્લબ ના મેમ્બર એ વિદ્યાલય પર ભોજન પણ ગ્રહણ કરેલ,તેઓ વિદ્યાલય થી પ્રભાવિત થયા.

Sunday, June 21, 2026

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી.

આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં સૌ પ્રથમ યોગ પ્રાર્થના,આસન,પ્રાણાયામ,મુદ્રા,ધ્યાન, શુદ્ધિક્રિયા કરવામાં આવી જેમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વેશભાઈ પરમાર જેઓ નગર સેવક જામનગર મહાનગર પાલિકા, ભરતસિંહ જાડેજા જેઓ પૂર્વ સૈનિક પરિષદ જામનગર અધ્યક્ષ, જયભાઈ નળિયાપરા વોર્ડ નંબર 11 ના અધ્યક્ષ જોડાયા હતા આ કાર્યક્રમ માં વિદ્યાલય ના મંત્રી શ્રી હર્ષદભાઈ પણસારા તેમજ વિદ્યાલય ના પ્રધાનઆચાર્યો,આચાર્યો તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Saturday, February 21, 2026

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ.
જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જેમાં ગુજરાત પ્રાંત ના પૂર્ણ કાલીન કાર્યકર્તા વિપુલભાઈ,રીનાબહેન જોડાયા હતા. સાથે ગુજરાત પ્રાંત પ્રશિક્ષણ પ્રમુખ ચંદાબહેન ઉપસ્થિત રહ્યા હતા વંદના બાદ અલગ અલગ સત્રો થયા જેમા વર્ષ 2025-26 નું વર્ષ દરમિયાન થયેલ કાર્યક્રમ નું વૃત ત્યારબાદ 2026 માટે ની બાલિકા શિક્ષણ ની કાર્ય યોજના બનાવી બાલિકા શિક્ષણ સારુ અને વ્યવસ્થિત ચલાવવા માટે વિવિધ સત્રો યોજાયા. આ બેઠક માં પ્રાંત બાલિકા શિક્ષણ પ્રમુખ શ્રી જયશ્રીબા જાડેજા સહ પ્રમુખ માયાબહેન ગજ્જર તેમજ વિભાગ અને સંકુલ ના પ્રમુખ,સહ પ્રમુખ ઉપસ્થિત હતા.

Wednesday, February 4, 2026

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

 શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર -અનોખું વિદ્યાલય 

શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે. 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વિચારો થી ચાલતી વિદ્યાલય 

વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય 

યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જામનગર જિલ્લા ની એકમાત્ર શાળા 

ગ્લોબલ સ્કૂલ એલાઇન્સ,ગ્લોબલ સ્કૂલ પ્રોગ્રામ,ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન રાઇટ્સ સંસ્થા જેવી 20 જેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે જોડાણ 

અદ્યતન હવા ઉજાસ વાળું ભવ્ય બિલ્ડિંગમાં વર્ગ ખંડો શાંત રમણીય અને પ્રકૃતિ કુદરતી સૌંદર્ય ધરાવતું આધુનિક શાળામાં બુટેન બોર્ડ, સ્ટેજ, સ્વાગત બગીયો અને બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિ, ઘાસ, લીલાં, છાંય વેલા, વૃક્ષો અને વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિથી શોભા ધરાવતું અતિ-આધુનિક સ્વચ્છ સુંદર અને રમણિય ખુલ્લા મેદાન ધરાવતી આધુનિક સમયની એક માત્ર શાળા એટલે શિશુમંદિર વિભાપર

પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાં પણ વધુ છે, રત્નો તો બહાર ચમક દેખાડે છે, જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ બનાવે છે”
પુસ્તકાલય પુસ્તક આલય = પુસ્તકોનું ઘર ધિરાણ વધારવા માટે વિવિધ પ્રકારના પુસ્તકોનું વાંચન પ્રેરણા પૂરી પાડે છે. તે હેતુથી પુસ્તકાલય એ નિશાળ અને વિદ્યાલયનું એક અનિવાર્ય અંગ છે.
* પુસ્તકાલયમાં 3500–4000 વિવિધ પુસ્તકોનો સંગ્રહ

* શાંત વાતાવરણ
* વિશાળખંડમાં વાંચન માટે બેઠક વ્યવસ્થા
* વિવિધ પ્રકારના પુસ્તકો જેવાંકે ધાર્મિક, આધ્યાત્મિક, પ્રેરણાત્મક, બોધાત્મક, સ્પર્ધાત્મક, નાટક, નવલકથા, વાર્તા, યોગ, કોમ્પ્યુટર, ગણિત-વિજ્ઞાન, સમકાલીન વાર્તા વગેરે પુસ્તકોનો સંગ્રહ
* વિદ્યાર્થીની ઇચ્છિત વાંચન અભિરુચિ કેળવવા અભિયાન
* મન ગમતું પુસ્તક વાતાલાપ
* શ્રેષ્ઠ વાચક – સ્પર્ધા
* વાંચન-પ્રેરણા અને જીવન ધ્યેય કેન્દ્રિત અન્ય સ્પર્ધાઓ
* વાંચન પ્રેરણા નોંધ પોથી
* પુસ્તક પ્રદર્શન
* વિચારગોષ્ઠી વગેરે આયોજન



આધુનિક સમયમાં computer lab શાળાનું મહત્વનું અંગ છે.
* વિદ્યાર્થીઓ એ પ્રા. શાળામાં મેળવેલ જ્ઞાનને વધારે update કરવા જરૂરી છે.
* આજના સ્પર્ધાત્મક સમયમાં E-learning સાથે computer learning વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય છે.
* વિદ્યાર્થીઓ પાસે computer learning નું જ્ઞાન હોય તો કોઈપણ મહત્વ વિષય ઊંડાણપૂર્વક વિષય નિષ્ણાતના વિડિયો દ્વારા સરળ અભ્યાસ કરી શકે છે.
* computer learning વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, શિસ્ત, સમજણ જવાબદારી જેવા ગુણો વિકસે છે.
* વિદ્યાર્થી સ્વયં (જાતે) ટેબ્લેટ, લેપટોપ, મોબાઇલ જેવા સોશિયલ મીડિયાનો વિવેકપૂર્વક ઉપયોગ કરી પોતાની જાતને update કરી શકે છે.
* વિદ્યાર્થીઓમાં નવું જ્ઞાન, નવી દિશા અંગોળીના સ્પર્શ દ્વારા મેળવી શકે છે.
* અભ્યાસને લગતા વિષયનું જ્ઞાન પોતાની રીતે મેળવવાની advance થઈ શકે છે.
* આજનો યુગ ટેકનોલોજીનો છે ત્યારે ટેકનોલોજીકલ ટૂલ્સ દ્વારા પોતાના વિષયને ઉજ્જવળ કરી શકે છે.
* માત્ર પુસ્તકો દ્વારા જ નહિ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી સમયનો સદુપયોગ કરી શકે છે.
* શાળા લેવલે મેળવેલ computer learning નું જ્ઞાન જીવનના કોઈપણ ક્ષેત્રે ઉપયોગ થઈ શકે છે.

Ai Artificial Intelligence દ્વારા શિક્ષણ 
ડિજિટલ કનટેઈન દ્વારા શિક્ષણ 
Ai માં ચેટ જી.પી.ટી,જેમીની,નોટબુક એલ.એમ જેવી એપ દ્વારા શિક્ષણ 
વિદ્યાર્થીઓ ને Ai દ્વારા પ્રોજેકટ અને તેનું જાતે પ્રેજનટેશન બનાવી ને મૂલ્યાંકન 
 ખેલકૂદ અને ખેલમહાકુંભ 
વિદ્યાભારતી દ્વારા યોજાતા ખેલકૂદ માં શ્રેસ્ઠ પરિણામ 
સરકાર ના ખેલ મહાકુંભ માં જિલ્લા,રાજ્ય સુધી શ્રેસ્ઠ દેખાવ 
વિદ્યાલય માં વિશાળ મેદાન વ્યવસ્થા તેમજ ખેલકૂદ માટે કોચ 

CET,CGMS જેવી પરીક્ષાઓ ની માહિતી અને માર્ગદર્શન 
વિદ્યાલય માં વિદ્યાર્થીઓ ને સરકાર ની પરીક્ષા ની સમજ અને માર્ગદર્શન આપવામાં આવે છે. અમારી વિદ્યાલય ના અનેક વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરી સરકાર ના લાભો મળ્યા છે. 

વિદ્યાલય માં બહેનો માટે બાલિકા શિક્ષણ 




શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન યોજાયું

શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર  વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર પર આજે ૧૯/૯/૨૦૨૬ ને શનિવારે બીજું વાલી સોપાન હતું....